નગરોમાં બોધ કરવાને અને વાત પ્રગટ કરવાને ગયા પહેલા ઈસુએ શિષ્યોને આજ્ઞા આપવાનું પૂરું કર્યું [૧૧:૧]
યોહાન બાપ્તિસ્માએ ઈસુને સંદેશ મોકલ્યો કે, "શું તું આવનાર છે અથવા કે અમે કોઈ બીજાની રાહ જોઈએ" [૧૧:૩]?
ઈસુએ કહ્યું કે બીમાર સાજા થાય છે,મૂએલા ઉઠાડાય છે અને દરિદ્રીઓને સુવાર્તા પ્રગટ કરાય છે [૧૧:૫]
જે તેના સંબંધી ઠોકર ખાતું નથી તેને ઇસુ ધન્ય કહે છે [૧૧:૬]
યોહાન બાપ્તિસ્મા જે આવનાર માટે રસ્તો તૈયાર કરવાનો હતો તેને વિષે પ્રચાર કરતો હતો [૧૧:૯-૧૦]
ઈસુએ કહ્યું કે યોહાન બાપ્તીસમાં એલિયા છે [૧૧:૧૪]
આ પેઢીએ કહ્યું કે યોહાન બાપ્તીસ્માને અશુધ્ધ આત્મા વળઘેલું છે [૧૧:૧૮]
આ પેઢીએ ઈસુને ખાઉધરો અને દારુબાજ તથા દાણી અને પાપીઓનો મિત્ર કહ્યું [૧૧:૧૯]
જે નગરોમાં ઈસુના મોટા કામો થયા હોવા છતાં જેમણે પસ્તાવો કર્યો નહોતો ત્યાં ઈસુએ ન્યાય જાહેર કર્યો [૧૧:૨૦-૨૪]
આકાશનું રાજ્ય જ્ઞાનીઓ અને તર્ક શાસ્ત્રીઓથી ગુપ્ત રખાયું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી [૧૧:૨૫]
આકાશનું રાજ્ય બાળકોને પ્રગટ કરાયું હોવાથી ઈસુએ પિતાની સ્તુતિ કરી [૧૧:૨૫]
ઈસુએ કહ્યું કે તે પિતાને જાણે છે અને તે જેને ઈચ્છે તેને પ્રગટ કરી શકે છે [૧૧:૨૭]
વિસામાનું વચન ઈસુએ વૈતરું કરનારા અને ભારથી લદાયેલા લોકોને આપે છે [૧૧:૨૮]