Matthew 21

Matthew 21:1

તેમની સામેના ગામમાં ઈસુએ તેમના શિષ્યોને શું શોધવાનું કહ્યું?

ઈસુએ કહ્યું કે તેઓને બાંધેલો એક ગધેડી અને તેનું બચ્ચું મળશે [૨૧:૨]

Matthew 21:4

એ ઘટના વિષે પ્રબોધકે શું ભવિષ્ય વાણી કરી હતી?

પ્રબોધકે ભવિષ્ય વાણી કરી હતી કે રાજા બચ્ચા પર સવાર આવશે [૨૧:૪-૫]

Matthew 21:6

યરુશાલેમના રસ્તા પર જ્યાં ઈસુ યાત્રા કરતા હતા ત્યાં ટોળાએ શું કર્યું?

ટોળાએ તેમના ઉપવસ્ત્રો અને ઝાડની ડાળીઓ રસ્તા પર બિછાવી [૨૧:૮]

Matthew 21:9

ઈસુ જતા હતા ત્યારે ટોળાએ શું બૂમ પાડી?

ટોળાએ બૂમ પાડી કે, "પ્રભુને નામે જે આવે છે પરમ ઉંચામાં હોસન્ના" [૨૧:૯]

Matthew 21:12

જયારે ઈસુ યરુશાલેમમાં ઈશ્વરના ભક્તીસ્થાનમાં આવ્યા ત્યારે તેમણે શું કર્યું?

ભક્તિસ્થાનમાં જેઓ વેચતા હતા અને ખરીદતા હતાતેઓને અને નાણાવટીઓના બાજઠ ઉંધા પાડ્યા [૨૧:૧૨]

ઈસુએ વેપારીઓને શું કહ્યું કે તેમણે ઈશ્વરના ભક્તિસ્થાનને શું બનાવ્યું છે?

ઈસુએ કહ્યું કે વેપારીઓએ ઈશ્વરના ભક્તિસ્થાનને લુંટારાઓનું કોતર બનાવ્યું છે [૨૧:૧૩]

Matthew 21:15

જયારે મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ બાળકો જે બૂમો પાડતા હતા તેનો વિરોધ કર્યો ત્યારે ઈસુએ શું કહ્યું?

ઈસુએ કહ્યું કે બાળકોના તથા ધાવણાઓના મોમાંથી ઈશ્વરે તેની સ્તુતિ સંપૂર્ણ કરાવી છે [૨૧:૧૫-૧૬]

Matthew 21:18

ઈસુએ અંજીરી ઝાડનું શું કર્યું?

તેની પર ફળ ના હોવાથી અંજીરી સુકાઈ ગઈ [૨૧:૧૮-૧૯]

Matthew 21:20

ઝાડના સુકાઈ જવાથી ઈસુએ તે વિષે શિષ્યોને શું પ્રાર્થના કરવાનું શીખવ્યું?

ઈસુએ તેના શિષ્યોને શીખવ્યું કે જો તેઓ વિશ્વાસ રાખીને પ્રાર્થનામાં માંગશે તો તેમને મળશે [૨૧:૨૦-૨૨]

Matthew 21:23

જયારે ઈસુ બોધ કરતા હતા ત્યારે શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ શાના વિષે પ્રશ્ન કર્યો?

શાસ્ત્રીઓ અને મુખ્ય યાજકોએ એ જાણવાનું ઈચ્છ્યું કે કયા અધિકારથી તેઓ આ બધું કરે છે? [૨૧:૨૩]

Matthew 21:25

તેના બદલામાં ઈસુએ મુખ્ય યાજકો અને વડીલોને શું પ્રશ્ન પૂછ્યો?

ઈસુએ પૂછ્યું કે તેઓ શું વિચારે છે કે યોહાન બાપ્તિસ્મા આકાશથી હતો કે માણસોથી? [૨૧:૨૫]

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ યોહાન બાપ્તિસ્મા આકાશથી હતો એવું કેમ કહેવા નહોતા માંગતા?

તેઓ જાણતા હતા કે ઈસુ તેમને પૂછશે કે તેઓએ તેનો વિશ્વાસ કેમ ના કર્યો [૨૧:૨૫]

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ યોહાન બાપ્તિસ્મા માણસોથી હતો એવું કેમ કહેવા નહોતા માંગતા?

તેઓ ટોળાથી બીધા કેમ કે યોહાન પ્રબોધક હતો [૨૧:૨૬]

Matthew 21:28

ઈસુની વાર્તામાં, બેમાં થી કયા દીકરાએ પિતાની ઈચ્છા પૂરી કરી?

પહેલા દીકરાએ કહ્યું કે તે જઈને કામ નહિ કરે અને પછી તે બદલાયો અને ગયો [૨૧:૨૮-૩૧]

Matthew 21:31

મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ પહેલા દાણીઓ અને ગણિકા કેમ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશ પામશે?

ઈસુએ કહ્યું કે તેઓ સ્વર્ગના રાજ્યમાં પ્રવેશશે કેમ કે તેઓએ યોહાનનો વિશ્વાસ કર્યો પણ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓએ ના કર્યો [૨૧:૩૧-૩૨]

Matthew 21:33

Matthew 21:35

દ્રાક્ષવાડીના ખેડૂતોએ માલિકે મોકલેલા ચાકરો સાથે શું કર્યું?

દ્રાક્ષવાડીના ખેડૂતોએ ચાકારોને માર્યા, પથ્થરોથી મારી નાખ્યા [૨૧:૩૫-૩૬]

આખરે દ્રાક્ષવાડીના ખેડૂતો પાસે માલિકે કોને મોકલ્યો?

માલિકે આખરે તેના પુત્રને મોકલ્યો [૨૧:૩૭]

Matthew 21:38

આખરે મોકલેલા માણસ સાથે દ્રાક્ષવાડીના ખેડૂતોએ શું કર્યું?

દ્રાક્ષવાડીના ખેડૂતોએ તેને મારી નાખ્યો [૨૧:૩૮-૩૯]

Matthew 21:40

લોકોએ કહ્યું કે માલિકે શું કરવું જોઈએ?

લોકોએ કહ્યું કે માલિક તે દ્રાક્ષવાડીના ખેડૂતોના નાશ કરશે અને તે દ્રાક્ષવાડી બીજાને અઆપશે [૨૧:૪૦-૪૧]

Matthew 21:42

શાસ્ત્રમાં છે જે ઈસુએ કહ્યું કે બાંધનારાઓએ નકારેલા પથ્થરનું શું થયું?

બાંધનારાઓએ નકારાયેલો પથ્થર ખૂણાનો મુખ્ય પથ્થર થયો [૨૧:૪૨]

Matthew 21:43

શાસ્ત્રના આધારે ઈસુએ કહ્યું કે શું થશે?

ઈસુએ કહ્યું કે મુખ્ય યાજકો અને ફરોશીઓ પાસેથી ઈશ્વરનું રાજ્ય લઇ લેવામાં આવશે અને જે પ્રજા તેના ફળ આપશે તેને આપવામાં આવશે [૨૧:૪૩]

Matthew 21:45

શાસ્ત્રીઓએ અને ફરોશિઓએ કેમ ઇસુ પર તરત જ હાથ ના નાખ્યો?

લોકો ઈસુને પ્રબોધક માનતા હોવાથી તેઓ લોકોથી બીધા [૨૧:૪૬]