Matthew 16

Matthew 16:1

સદુકીઓ અને ફરોશીઓ ઈસુનું પરીક્ષણ કરવા શું નિશાની જોવા માંગતા હતા?

સદુકીઓ અને ફરોશીઓ ઈસુ પાસેથી આકાશમાંથી ચિહ્ન જોવા માંગતા હતા [૧૬:૧]

Matthew 16:3

ઈસુએ કહ્યું ફરોશી અને સદુકીઓને શું અપાયું છે?

ઈસુએ કહ્યું કે ફરોશી અને સદુકીઓને યુનાનું ચિન્હ અપાયું છે [૧૬:૪]

Matthew 16:5

ઈસુ તેમના શિષ્યોને શાથી સાવધ રહેવાનું કહે છે?

ઇસુ તેમના શિષ્યોને ફરોશી અને સદુકીઓના ખમીરથી સાવધ રહેવાનું કહે છે [૧૬:૬]

Matthew 16:9

Matthew 16:11

જયારે ઇસુ તેના શિષ્યોને સાવધ રહેવાનું કહે છે ત્યારે ખરેખર તે શાના વિષે વાત કરે છે?

ઈસુ તેમના શિષ્યોને ફરોશી અને સદુકીઓના શિક્ષણથી સાવધ રહેવાનું કહે છે [૧૬:૧૨]

Matthew 16:13

કાઈસરીયા ફીલીપીમાં તેઓ આવ્યા ત્યારે ઈસુએ તેમના શિષ્યોને શું કહ્યું?

ઈસુએ તેમના શિષ્યોને પૂછ્યું કે "માણસના દીકરા કોણ છે તે વિષે લોકો શું કહે છે [૧૬:૧૩]

થોડા લોકો ઈસુ વિષે શું વિચારે છે?

થોડા લોકો વિચારે છે કે ઈસુ યોહાન બાપ્તિસ્મા છે ,એલિયા, યર્મિયા અથવા પ્રબોધાકોમાંનો એક. [૧૬:૧૪]

પિતર ઈસુને શું જવાબ આપે છે?

પિતરે જવાબ આપ્યો કે "તું મસીહ છે, જીવતા ઈશ્વરનો દીકરો " [૧૬:૧૬]

Matthew 16:17

પિતરને ઈસુના પ્રશ્નનો જવાબ કેવીરીતે ખબર પડી?

પિતાએ તેને પ્રગટ કર્યું હોવાથી પિતરને ઈસુના પિતાનો જવાબ ખબર પડે છે [૧૬:૧૭]

Matthew 16:19

ઈસુ પિતરને પૃથ્વી પર શું અધિકાર આપે છે?

ઈસુ પિતરને રાજ્યની કુંજીઓ આપે છે, તે માટે જે તે પૃથ્વી પર બાંધશે અથવા છોડશે તે સ્વર્ગમાં પણ બંધાશે અને છોડાશે [૧૬:૧૯]

Matthew 16:21

તે સમયે ઈસુ શિષ્યો સાથે શું સ્પષ્ટ વાત કરે છે?

ઈસુ તેના શિષ્યોને કહેવાનું શરુ કરે છે કે તેને યરુશાલેમ જવું, સહેવું અને મારી નખાવું અને ત્રીજા દિવસે પાછા ઉઠવું જરૂરનું છે [૧૬:૨૧]

ઈસુએ જે કહ્યું તેનો વિરોધ કરતા પિતરને તેણે શું કહ્યું ?

ઈસુએ પિતરને કહ્યું કે "મારી પછવાડે જા,શેતાન" [૧૬:૨૩]

Matthew 16:24

જે ઈસુની પાછળ આવવા ચાહે તેણે શું કરવું જોઈએ?

જે ઈસુની પાછળ આવવા ચાહે તેણે પોતાનો નકાર કરીને વધસ્તંભ ઊંચકવો [૧૬:૨૪]

ઈસુએ કહ્યું કે માણસને શું લાભનું નથી?

ઈસુએ કહ્યું કે માણસ આખું જગત જીતે પણ તેનું જીવ ખોવે તે તેના લાભનું નથી [૧૬:૨૬]

Matthew 16:27

ઈસુએ કહ્યું કે માણસનો દીકરો કેવીરીતે આવે છે?

ઈસુએ કહ્યું કે માણસનો દીકરો તેના પિતાની માહિમમાં તેના દૂતોની સાથે આવશે [૧૬:૨૭]

જયારે માણસનો દીકરો આવશે ત્યારે દરેકને કેવીરીતે ચૂકવશે?

જયારે માણસનો દીકરો આવશે ત્યારે દરેકને તેમના કામ પ્રમાણે ચૂકવશે [૧૬:૨૭]